Saturday, August 20, 2011

આતંકવાદી મન

મન આતંકવાદી થાય છે,
તો યે સાધુ થૈ રહેવાય છે,

ખુદના આશયે પરાસ્ત...
ખુદની જીંદગી જીવાય છે,

રોજેરોજના રંગમંચમાં,
ગોખેલા સંવાદ બોલાય છે,

ચોપાટની સોગઠી ચાલમાં,
આબરૂ દાવમાં રમાય છે,

કોણ જાણે કેમ આ આક્રોશ,
રગેરગ મહી વર્તાય છે.
~ધૃતિ...

No comments:

Post a Comment